સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

મોરબીમાં વૃધ્ધાની વાજતે ગાજતે અંતિમયાત્રા

મોરબીઃ મનુષ્યમાં મૃત્યુનો ભય જોવા મળતો હોય છે ત્યારે મોરબીના નિવૃત શિક્ષિકાએ સમાજને નવી રાહ ચીંધી છે મોરબીના બુઢાબાવાની શેરીમાં રહેતા વિજયાબેન મૂળશંકર જાની નિવૃત શિક્ષિકા હોય જે પુ. ભાવેશ્વરીદેવીના પણ ગુરુ હોય અને મોરબીમાં મધર ટેરેસા તરીકે ઓળખાતા હતા જેમને સગાસ્નેહીઓને પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા અગાઉ જ જણાવી દીધી હોય અને આજે તેનું મૃત્યુ થતા સગા-સ્નેહીઓ અને લત્ત્।ાવાસીઓએ તેમની અંતિમ યાત્રા બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે કાઢી હતી. મોરબીના નિવૃત શિક્ષિકાએ જીવનની જેમ મૃત્યુ પણ એક ઉત્સવ છે અને તેને પણ ઉજવવાની અનોખી પ્રેરણા પૂરી પાડી છે. વાજતે ગાજતે નીકળેલી અંતિમયાત્રાની તસ્વીર.

(11:49 am IST)