પોરબંદરઃ સફળતા વિષયક માર્ગદર્શન અપાયું
માળિયા હાટીનાઃ રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના ચેરમેન અને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન સ્થાપક શ્રીમાન રીઝવાન આડતિયા પોરબંદરની મુલાકાતે આવેલ તેઓની પ દિવસીય મુલાકાત દરમ્યાન તેઓએ પોરબંદરની જેસીઆઇ મંથન સ્કુલ, બાલુબા સ્કૂલ, વી.જે.મદ્રેશા, આરટીજી સ્કુલ, જનરલ નર્સિગ કોલેજ, રેડ ક્રોસ ટ્રસ્ટ, સીનીયર ટેકાના કેર સેન્ટરની મુલાકાત લીધી હતી તેઓની મુલાકાત દરમ્યાન 'સફળતા તારા હાથમાં' વિષય પર સ્કુલ તેમજ કોલેજના ૨૨૦૦ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ અને પ્રસંગોને લઇને ઇન્પીનેશલ સ્પીચ આપી હતી. આ કાર્યક્રમોથી જે તે સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ઘણી પ્રેરણા મળી ઉપરાંત પ્રાસલામાં આયોજિત શિબિરમાં હાજરી આપી અને ૧૧૦૦૦ વિદ્યાર્થીને પોતાના જીવનમાં થયેલ અનુભવો અને ઘટનાઓના આધારે જીવન ઉપયોગી પ્રવચન આપ્યુ હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મહેશભાઇ કાનાબાર)(૨૩.૨)