દામનગરની વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલયની મુલાકાતે મનીષાબેન શાહ
દામનગર : ઉતમચંદ મોરારજી અજમેરા સાર્વજનિક દવાખાનાના પૂર્વ મેડિકલ ઓફિસર ખ્યાતનામ ડો. શાહના અમેરિકા સ્થિત પુત્રી મનીષાબેન શાહે ૪૦ વર્ષ બાદ દામનગર ની મુલાકાતે પધાર્યા વર્ષો જૂની સ્મળતિ ઓ વાગોળી પોતાના મકાનમાં મહિલા પુસ્તકાલય જોઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી. મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલયમાં પધારતા મનીષાબેન શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. સંસ્થા દ્વારા મહિલા ઉત્ક્રષની પ્રવળત્તિ નિહાળી પોતા ના રહેણાંક મકાન માં જ્ઞાન મંદિર બન્યું હોવા થી ખૂબ ભાવવિભોર બની સર્વ ટ્રસ્ટી વાંચક વર્ગ એવમ ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયના સર્વ ટ્રસ્ટી પાસે સંસ્થાની વિવિધ વિભાગો અને અનેક વિધ સેવા હુન્નર કૌશલ્ય વિવિધ સ્પર્ધાત્મક પ્રવળત્તિ થી અવગત થયા હતા. સંચાલન વ્યવસ્થા થી સર્વ ટ્રસ્ટી અને કર્મચારી પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)