ટંકારા તાલુકાના રાજાવડ ગામમાં ગુજરાત રાજ્યની રચનાથી આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ નથી
(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૬ : ટંકારા તાલુકાના રાજાવડ ગામ માં ગુજરાત રાજ્યની રચનાથી આજ સુધી પંચાયતની ચૂંટણી યોજાયેલી નથી. રાજાવડ ગામ સમરસ બનેલ છે.
ગુજરાતમાં આગામી ૧૯ તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહેલ છે ત્યારે ટંકારા તાલુકાના રાજાવડ ગામ માં ગુજરાત રાજ્યની રચનાથી આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ નથી સમરસ ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાન્ટ અપાતી ન હતી, ત્યારે પણ રાજાવડ ગામ સમરસ હતું
સરપંચ તથા સભ્યોના એક એક ફોર્મ ભરાય છે અને ઉમેદવાર સમસ્ત ગામ સર્વાનુમતે નક્કી કરે છે
આ વર્ષે રાજાવડ માં ગાયત્રી દેવી ધ્રુવકુમારસિંહ જાડેજા ની સરપંચ પદે વરણી કરાયેલ છે .
સભ્ય તરીકે દેવકરણભાઈ દેવરાજભાઈ ભટાસણા, ધર્મેન્દ્ર હીરાભાઈ ભટાસણા, લખમણ મુળુભાઈ બાલસરા, નાજાભાઈ દેવાભાઈ રાણા, મંજુલાબેન ડાયાભાઈ ભટાસણા, ભાવનાબેન જીતેન્દ્રકુમાર કાવર, ગીતાબેન હરેશભાઈ બાલાસરા, તથા પ્રવિણાબેન ધર્મેન્દ્રભાઈ રામાવત ની સભ્ય તરીકે વરણી કરાયેલ છે.