સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

કચ્‍છ : પત્‍નીના મોતના વિરહમાં વૃધ્‍ધ પતિએ વખ ઘોળ્‍યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્‍છના લખપત તા.ના પાનધ્રો ગામે વૃદ્ધ ખેડૂતે પોતાની પત્‍નીના વિરહમાં જીવ દીધો હતો.
પોલીસ ચોપડે મૃતકના પુત્રએ નોંધાવેલી વિગતો મુજબ મૂળ પંજાબના અને ઘણા વર્ષોથી કચ્‍છના પાનધ્રો ખાતે ખેતી કરતાં શીખ ખેડૂત જોગેન્‍દ્રસિંઘ ગોપાલસિંઘ જાટે ઝેરી જંતુનાશક દવા પી મોતને વ્‍હાલું કર્યું હતું.
૮૧ વર્ષીય જોગેન્‍દ્રસિંઘ જાટ ના પત્‍ની નું બે વર્ષ પહેલાં મોત થયું હતું. પોતાની પત્‍નીના મોત બાદ માનસિક તણાવ અનુભવતા વૃદ્ધ ખેડૂતે અંતે પત્‍નીના વિરહમાં જીવ દીધો હતો.

 

(11:35 am IST)