SGVP ગુરુકુલ રીબડામાં ઉજવાતા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દિપ પ્રાગટ્ય કરતા સંતો
રાજકોટ તા. 6 SGVP ગુરુકુલ રીબડા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે મહોત્સવના પ્રારંભમાં રીબડા ગુરુકુલ વિદ્યાર્થીઓના અવનવા નૃત્ય સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્ય રજુઆત બાદ મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમા શાસ્ત્રી માઘવપ્રિયદાસજી સ્વામી, દેવપ્રસાદજી મહારાજ – જામનગર, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમાત્માનંદજી મહારાજ – રાજકોટ, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી – વડતાલ, પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી – ધોરાજી, સ્વામી હરિનારાયણદાસજી સ્વામી – જુનાગઢ, શાસ્ત્રી ધર્મપ્રિયદાસજી સ્વામી – ધંધુકા, સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી – ધાંગધ્રા, શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી – વ્રજભુમી, સત્સંગભુષણદાસજી સ્વામી – કોબા, નવીનભાઇ દવે, અનિરુદ્ધસિહજી જાડેજા – રીબડા, મધુભાઇ દોંગા, રમેશભાઇ ટીલાળા વગેરે જોડાયા હતા.