જખૌના દરિયામાંથી બે બોટ સાથે ૧૩ માછીમારોના અપહરણ વચ્ચે જામસલાયાની હરમકરમ બોટ અને પાંચ માછીમારો લાપત્તા
પાક મરીન સિકયુરિટીએ બે બોટના ૧૩ માછીમારોને પકડીને કરાંચીમાં ફરિયાદ નોંધી પણ એક બોટ બે દિવસથી લાપત્તા
ભુજ, તા.૬: પાકિસ્તાન મરીને જખૌના દરિયામાંથી બે ભારતીય બોટ સાથે ૧૩ માછીમારોને બુધવારે ઝડપીને તેમની સામે પાક સરહદમાં દ્યૂસવાની ફરિયાદ નોંધાવી છે.
કરાંચી પોલીસમાં આ અંગે પાક મરીને કરેલી ફરિયાદ બાદ બોટ જપ્ત કરીને ૧૩ માછીમારોને કરાંચી જેલ હવાલે કરી દેવાયા છે. પરંતુ, જખૌના દરિયામાં પાંચ માછીમારો સાથેની એક બોટ ગુમ છે. આ બોટનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હોવાની શંકા છે. જોકે, સત્તાવાર રીતે પાક મરીને બે બોટ સાથે ૧૩ માછીમારો સામે ફરિયાદ કરી હોય ગુમ થયેલી બોટે રહસ્ય સાથે ચિંતા સર્જી છે. હરમકરમ નામની આ બોટ જામસલાયાની છે અને જખૌમાં માછીમારી કરી રહી છે. તેમાં પાંચ માછીમારો હતા.
સલામતી એજન્સીઓ બે દિવસથી દરિયામાં સર્ચ ઓપરેશન કરી રહી છે પણ હરમકરમ બોટ અને પાંચ માછીમારોનો હજી અતોપતો નથી.