સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th December 2019

જાફરાબાદ અને પીપાવાવ બંદરે બે નંબરની સિગ્નલ

વેરાવળ, નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ

અમદાવાદ : અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. આ પહેલા વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું

(12:56 am IST)