News of Thursday, 5th December 2019
જાફરાબાદ અને પીપાવાવ બંદરે બે નંબરની સિગ્નલ
વેરાવળ, નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ
અમદાવાદ : અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. આ પહેલા વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું
(12:56 am IST)