કેનાલમાં કાર ખાબકતા ભાવનગરના પ્રજાપતિ પરિવારના માતા-પુત્રીના મોત
કાર ચાલક જગદીશભાઇ મેઘાણી-પ્રજાપતિ બોટાદની હોસ્પિટલમાં સારવારમા
કાર કેનાલમાં ખાબકતા માતા-પુત્રીનાં ડુબી જતાં મોત નિપજ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી- મહિપાલ વાઘેલા-બોટાદ)
ભાવનગર તા. ૬ :.. ભાવનગરનાં પ્રજાપતિ પરિવારની કાર રાફડાની કેનાલમાં ખાબકતાં માતા-પુત્રીના ડૂબી જતાં મોત નિપજયા છે. જયારે ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે.
અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં સરદારનગર સર્કલ પાસે રહેતાં પ્રજાપતિ મેઘાણી જગદીશભાઇ તથા તેમનાં પત્ની ભાવનાબેન પ્રજાપતિ ઉ.૪પ તથા પુત્રી નીતાબેન ઉ.ર૧ પોતાની કારમાં બરવાળા તાબેનાં ખસ ગામેથી બોટાદ જીલ્લાનાં સેથળા ગામે પોતાના ખેતર જોવા માટે કારમાં જતાં હતા ત્યારે રાફડા કેનાલ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકતાં ભાવનાબેન તથા તેની પુત્રી નીતાબેનનું કેનાલમાં ડૂબી જતા મોત નિપજયુ છે. જયારે ઇજાગ્રસ્ત કારચાલક જગદીશભાઇને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ બનાવથી પ્રજાપતિ મેઘાણી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.