સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

જામનગરમાં હત્યા કરી લાશ સળગાવી નાખી

મૃતક હરેશભાઇ તરીયાવાળાના ભાઇએ ફરીયાદ લખાવતા પોલીસે તપાસ આદરી : ચકચાર

જામનગર તા. ૫ : જામનગર શહેરમાં એક યુવાનની સળગેલી લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા આ ઘટનાએ ચકચાર મચાવી છે.

: અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કીરીટભાઈ ડાયાભાઈ તરીયાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩ના સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે  ફરીયાદી કીરીટભાઈના નાના ભાઈ હરેશભાઈ ડાયાભાઈ તરીયાવાળા  ઉ.વ.૩૮ વાળાનું કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ પણ કારણોસર કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા મારી ઈજા કરી સળગાવી દઈ મોત નિપજાવી પુરાવાનો નાશ કરી ગુનો કરેલ છ.

(4:08 pm IST)