મેંદરડામાં દિવ્યાંગ દિવસની ઉજવણી
મેંદરડાઃ શ્રીજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની મેંદરડા સ્થિત સંસ્થાના બાળકોની સાથે દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ કૌશીકભાઇ જોષી ઉપપ્રમુખ ભુવનભાઇ વ્યાસ તથા પરેશભાઇ મહેતા તથા ઉતમભાઇ ઉછડીયા તથા પરાગભાઇ નિમાવત તથા નિકુલભાઇ ચંદ્રવાડીયા તથા કલ્પનાબેન ભકતાણી તથા અશોકભાઇ ડેર તથા રસીકભાઇ માઢક વગેરે ટ્રસ્ટી મંડળ સાથે રહીને અતિ દિવ્યાંગ બાકળોને બાપા સીતારામ આશ્રમ બગદાણા તથા માં ખોડીયારના ધામ ગળધરાનો પ્રવાસ કરાયો હતો.
આ પ્રવાસના આયોજનમાં સંસ્થાના સ્ટાફ તથા તમામ ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી. ખરા અર્થમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરતા આ પ્રવાસના આયોજનથી સંસ્થાના પ્રમુખ કૌશીકભાઇ જોષીએ બધાનો આભાર માન્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ ગૌતમ શેઠ-મેંદરડા)