જુનાગઢ ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસમાં ફાર્માસિસ્ટ માટે રીફ્રેશર કોર્ષ
જુનાગઢ ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસમાં ચાલતા ફાર્મસી વિદ્યાશાખા દ્વારા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સહયોગથી ગુજરાતના રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ માટે રીફ્રેશર કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્ષમાં વિવિધ સંસ્થામાંથી ફાર્મસી વિષયનાં સાત નિષ્ણાંતોએ હાજર રહી વિષયણે અનુરૂપ ઉત્કૃષ્ટ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ રીફ્રેશર કોર્ષમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૫૦ ફાર્માસિસ્ટએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ફાર્મસી વિભાગના વડા ડો.ચિંતન ટાંક અને સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ જવાહર ચાવડા, કેમ્પસ ડાયરેકટર બી.જે વાટલિયા અને ડાયરેકટર ડો.દીપક પટેલ એ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી તથા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો.