News of Friday, 6th November 2020
આચારસંહિતા છતાં સાવરકુંડલામાં લોકાર્પણ કરતા પાલિકા પ્રમુખ સામે ફરિયાદ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : સાવરકુંડલામાં આચારસંહિતા હોવા છતાં પાલિકા પ્રમુખે લોકાર્પણ કરતા તેની સામે ફરિયાદ કરાઇ છે.
જીલ્લામાં ધારી વિધાનસભા પેટા ચુંટણીનું જાહેરનામું બહાર પાડેલ હોય, જેમાં ઉદઘાટન સરકારી મસારંભો, નવી યોજનાની જાહેરાત સહિતના જુદા જુદા નિયમો અંગે જાહેરનામું બહાર પાડેલ. ગુજરાત ચુંટણી પંચ દ્વારા આચાર સંહિતા માટે પરિપત્ર બહાર પાડેલ હોવા છતાં સાવરકુંડલા નગરપાલિકાનું લોકાપર્ણ કરી ગુન્હો કરતા પાલિકાના પ્રમુખ સામે સાવરકુંડલા મામલતદાર અને તાલુકા એકઝી. મેજી. ડી.એન.ભાડએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(12:50 pm IST)