ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી દ્વારા વિજયાદશમી મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
અમરેલીઃ ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી દ્વારા વિજયાદશમીના પવિત્ર તહેવારે અમરેલી BAPS સ્વામીનારાયણ મંદિર એસેમ્બલી હોલ ખાતે પ.પૂ સ્વામી શ્રી નિત્યશુધ્ધાનંદ સરસ્વતીજીના આશીર્વચનથી શષાપૂજન, સરસ્વતી સન્માન તથા સ્નેહ મિલન નો ત્રિવિધ સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમ ના અધ્યક્ષ કિર્તીકુમારસિંહજી ગોહિલ (ઠાકોર ઓફ લાઠી સ્ટેટ) અને ઉદઘાટક તરીકે ગુજરાત રાજય કરણી સેના પ્રમુખ શ્રી જે.પી.જાડેજા હતા. તેમજ અન્ય મહાનુભાવ ઉષાદેવીબા કિર્તીકુમારસિંહજી ગોહિલ (લાઠી સ્ટેટ), રાજદિપસિંહ ઝાલા (નાયબ વન સંરક્ષક ગીર પૂર્વ), અશોકસિંહ ગોહિલ ( Dy.S.P અમરેલી ), સંદિપસિંહ ચુડાસમા ( આસી. સુપ્રી. પોસ્ટ ઓફિસ અમરેલી ), લવકુમારસિંહજી કે. ગોહિલ (લાઠી સ્ટેટ),ᅠ મહેન્દ્રસિંહજી જી. ગોહિલ- લાઠી સ્ટેટ, શ્રી વાય.પી.ગોહિલ (P.S.I ), એચ.જી.ગોહિલ ( P.S.I), એચ.પી.ગોહિલ (P.S.I ), મનોહરસિંહ ગોહિલ (ગિરાસદાર અગ્રણી લાઠી), રામદેવસિંહ ગોહિલ (ગિરાસદાર અગ્રણી સાવરકુંડલા), અજયસિંહ ગોહિલ (ગિરાસદાર અગ્રણી ધારી), રાજેન્દ્રસિંહ રાઠોડ (ગવર્નમેન્ટ કોલેજ લીલીયા),ધર્મેન્દ્રસિંહ ગોહિલ (પ્રમુખ અખીલ ભારતીય ક્ષત્રિય મહાસભા ભાવનગર), પ્રદિપસિંહ સરવૈયા ( પ્રમુખ અખીલ ભારતીય ક્ષત્રિય મહાસભા અમરેલી), વિક્રમસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ શ્રી ગિરાસદાર સમાજ અમરેલી), ચન્દ્રસિંહ સરવૈયા (પૂર્વ સરપંચ ચિતલ), સુખુભા સરવૈયા- વેપારી અગ્રણી ચિતલ, અર્જુનસિંહ ઝાલા (ગિરાસદાર અગ્રણી રાજુલા), શ્રી પ્રદિપસિંહ રાઠોડ (ગિરાસદાર અગ્રણી ખાંભા ), મયુરસિંહ ગોહિલ (ગિરાસદાર અગ્રણી દામનગર) સહિત મહેમાનો, ગિરાસદાર રાજપૂત સમાજના બહેનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી પ્રમુખ દિલીપસિંહ સરવૈયા, મંત્રી અજીતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર બલભદ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ જાડેજા અને તેમના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સફળતાપૂર્વક યોજાઈ ગયો હતો.(તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ : અમરેલી)