સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

જામકંડોરણામાં નરેન્દ્રભાઇની સભામાં બે લાખ લોકો ભેગા કરવાનો લક્ષ્યાંક : તૈયારીનો ધમધમાટ

રાજકોટ તા. ૬ : આગામી તા. ૧૧ ઓકટોબરે યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જામકંડોરણા ખાતે જંગી જનમેદનીને સંબોધવાના છે, ત્યારે આ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ કચાશ ન રહે તે માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ કમર કસી રહી છે, વડાપ્રધાનની જનસભાના આમંત્રણ આપવાના આયોજનના ભાગરૃપે પડધરી, લોધીકા, રાજકોટ, કોટડાસાંગાણી, ઉપલેટા, ધોરાજી, વિંછીયા, જસદણ અને ગોંડલના તાલુકા મથકો પર સંગઠનના હોદ્દેદારો, સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલુ છે. સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો, ગામોના સરપંચ સાથે મીટીંગનું આયોજન સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા, કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, જિલ્લા બેંકના ડીરેકટરશ્રીઓ તેમજ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે, અગ્રણીઓ સાથે કરવામાં આવેલ હોદ્દેદારોની બેઠકમાં દરેક તાલુકામાંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં હાજર રહેવા માટે લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપની ટીમ દ્વારા રાત - દિવસ એક કરીને તનતોડ મહેનત કરવામાં આવી છે.

વડાપ્રધાનને સાંભળવા માટે આવનાર કોઇપણ લોકોને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે છે, આ તકે રાજકોટ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા થનગની રહ્યું છે. વડાપ્રધાનની જનસભાની વ્યવસ્થાના ભાગરૃપે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસે ૪૦ વીઘા જમીન પર સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે, સભામાં આવનાર દરેક વ્યકિતને ભોજન કરાવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી વડાપ્રધાનને સાંભળવા અંદાજીત ૨ લાખની જનમેદની ઉમટે તેવો અંદાજ પ્રચંડ પરથી છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર જણાવે છે.(

(2:58 pm IST)