News of Thursday, 6th October 2022
પત્નીએ દારૃ પીવાની ના પાડતાં માળીયા હાટીનામાં યુવાનનો આપઘાત
માંગરોળનાં યુવાનનું ઝેરી દવા પીતા મોત
(વિનુજોશી દ્વારા) જુનાગઢ તા.૬ : પત્નીએ દારૃ પીવાની ના પાડતા માળીયા હાટીનામાં યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
વેરાવળના ડારી ગામના અને હાલ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના એક ખેડુતની વાડીએ રહેતા ૪૩ વર્ષીય દિનેશભાઇ કાળાભાઇ બામણીયાએ પત્નીએ દારૃ પીવાની ના પાડતા તેણે ઝેરી દવા ગટગટાવીને મોતનું મીઠુ કરી લેતા એએસઆઇ વી.એમ.કોડીયાતરે તપાસ હાથ ધરી છેે.
મોત
માંગરોળના નાગધા વિસ્તારમાં રહેતા ફારૃ હસનભાઇ છાપરા નામનાયુવાને કોઇ કારણસર ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.
(3:02 pm IST)