News of Sunday, 6th October 2019
અમરેલી પંથકની વ્યાજખોર ત્રિપુટી પાસામાં ધકેલાઇ
અમરેલી : અમરેલી પંથકમાં વ્યાજખોરી, મારામારી, સહિતના અનેક ગુનાએામાં સંડોવાયેલ અમરેલીના કેરિયા ચાડના નિરૂ ભાભલુભાઇ ધાખડા રાજુલાના વડ ગામના અલ્પેશ ધોહાભાઇ ધાખડા અને રાજુલામા મનમંદિર-૧ મા રહેતા નરેશ જીલુભાઇ ધાખડા નામની ત્રિપુટી સામે અમરેલી એસપીએ પાસાનુ શસ્ત્ર ઉગામ્યું હતુ. ત્રણેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી અને નીરૂ ધાખેડાને પાલનપુર, અલ્પેશ ધાખડાને સુરત- લાજપોર અને નરેશ ધાખડાને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
(1:16 pm IST)