હરધ્રોલ ક્ષત્રીય સમાજના પ્રમુખ તરીકે સતત પાંચમી વખત પ્રવિણસિંહ જાડેજા
રાજકોટઃ ધ્રોલ રાજવંશના ૪ર ગામોના ક્ષત્રીયોનું સંગઠન હરધ્રોલ ક્ષત્રીય સમાજ તરીકે વર્ષોથી રચાયેલું છે. તાજેતરમાં ધ્રોલ રાજપુત સમાજની વાડી ખાતે હરધ્રોલ ક્ષત્રીય સમાજનું વિશાળ સંખ્યામાં સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સતત પ મી વખત હરધ્રોલ ક્ષત્રીય સમાજના પ્રમુખ તરીકે પ્રવિણસિંહ છનુભા જાડેજા (ઇટાળા) ની વરણી બિનહરીફ થઇ હતી. આ સ્નેહ મિલનમાં પ્રદ્યુમનસિંહ જાડેજા (ધ્રોલ), પથુભા જાડેજા (ખોખરી), બકુલસિંહ જાડેજા (દોમડા), રાજભા જાડેજા (વાગુદળ), લખધીરસિંહ જાડેજા (રોજીયા), જીજુભા જાડેજા (જાબીડા), હઠુભા જાડેજા (વણપરી), દિલીપસિંહ જાડેજા (હાડાટોડા), રાજેન્દ્રસિંહ જાડેજા (ઘોડી) અને પી.ટી.જાડેજા (હડમતીયા) સહીતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજ ઉપસ્થિત રહયો હતો. તસ્વીરમાં સતત પાંચમી વખત સંગઠનનો ભાર પ્રદ્યુમનસિંહ જાડેજા (ધ્રોલ) દ્વારા પ્રવિણસિંહ જાડેજાને સુપ્રત કરી અભિનંદન આપવામાં આવ્યા જે નજરે પડે છે. (૪.૬)