મીઠાપુરના હેત કોટેચા દ્વારા શ્રી રામપ્રભુની રંગોળી : પ્રભુ ભકિતનો અનેરો દાખલો
મીઠાપુર : અયોધ્યામાં આશરે ૪૯ર વર્ષ બાદ શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું ત્યારે આખા દેશમાં આ શુભ પ્રસંગની ખૂબજ ઉત્સાહપૂર્વક ભકિતમય રીતે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી. કહેવાય છે કે નાના બાળકમાં પણ પ્રભુનો વાસ હોય છે અને બાળકોની પ્રભુ ભકિત કરવાની રીત પણ ઉત્કૃષ્ટ હોય છે ત્યારે આવો જ એક ભકિતમય કિસ્સો મીઠાપુરમાં પણ જોવા મળ્યો છે. ઓખા શહેર ભાજપના પ્રમુખ દિલીપભાઇ કોટેચાના નાના પુત્ર હેત કોટેચા દ્વારા પોતાના ઘરમાં જ શ્રી રામપ્રભુની એક વિશાળ રંગોળી બનાવછવામાં આવી છે. આટલા નાના બાળક દ્વારા આ રંગોળી પોતાના જ હાથે બનાવી પ્રભુ પ્રત્યેની પોતાની ઉમદા આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(