ભાવનગરમાં ૪૭ કેસો નોંધાયાઃ ૪૭ દર્દીઓ કોરોનામુકત
૧,૬૬૮ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર,તા.૬: જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૬૬૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના અમૃતવેલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૬, પાલીતાણા તાલુકાના હડમિયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૭, તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાના ઘટવાડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારે મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૨૩ એમ કુલ ૪૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૬૬૮ કેસ પૈકી હાલ ૪૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૧૯૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.