સુપેડીથી ધોરાજી યાર્ડમાં બકાલાનું પેમેન્ટ લેવા જતાં નારણભાઇ ચોૈહાણનું અકસ્માતમાં મોત
વણકર પ્રોૈઢે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૬: ધોરાજીના સુપેડીમાં રહેતાં નારણભાઇ પોલાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)નું ભુખી ચોકડી નજીક વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
નારણભાઇ તા. ૨ના સવારે દસેક વાગ્યે પોતાનું મોટરસાઇકલ હંકારી સુપેડીથી ધોરાજી યાર્ડમાં બકાલુ વેંચ્યુ હોઇ તેનું પેમેન્ટ લેવા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ભુખી ચોકડી પાસે બાઇક પરથી ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ધોરાજી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નારણભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. કોઇ વાહનની ઠોકર લાગતાં અકસ્માત સર્જાયો કે સ્લીપ થઇ જતાં? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.