સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th July 2019

ધી જુનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત

જુનાગઢ : અષાઢી બીજના પાવન પર્વ નિમિતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન ધી જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લિમીટેડ દ્વારા બેન્કના પૂર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે ભગવાન જગન્નાથની રથ યાત્રાનું ભવ્ય સ્વાગત આતશબાજી સાથે કરવામાં આવેલ, તેમજ ભાવિકોને કઢેલા દુધનો પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે બેંકના ચેરમેન આશિષભાઇ પારેખ, મેનેજીંગ ડિરેકટર રાજેન્દ્રભાઇ જોબનપુત્રા, તેમજ ડિરેકટર જે.એમ. ભટ્ટ સાહેબ અને જૈમિનભાઇ ગઢીયા તથા સી.ઇ.ઓ રાજેશભાઇ મારડિયા અને કર્મચારીઓ દ્વાર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

(11:13 am IST)