ગુરૂ આશ્રમ બગદાણા ખાતે એક માસ સુધી દર્શન સહિતના વિભાગ બંધ રાખવા નિર્ણય
ભાવનગર તા.૬ : ભાવનગર નજીકના શ્રદ્ઘાના કેન્દ્ર સમા પ્રસિદ્ઘઙ્ગ ગુરૂ આશ્રમ - બગદાણા ખાતે આવતા દરેક શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ, યાત્રિકોને જણાવવાનું કે, વિશ્વવ્યાપી કોરોના મહામારીને ધ્યાને લઈ સરકારના નિર્દેશાનુસાર ગાઈડલાઈન મુજબ તા. ૮ને સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની છુટછાટ આપવામાં આવી છે.
જેના અનુસંધાને આજરોજ ટ્રસ્ટીઓની મીટીંગ મળેલ, જેમાં કોરાના મહામારીને ધ્યાને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ ગુરૂ આશ્રમ — બગદાણા ખાતે દર્શનાર્થીઓ માટે પુરતી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય, તેમજ કોરોના મહામારી ને ધ્યાને લઈ પુરતી તકેદારી રાખવાની હોય અને અવ્યવસ્થા ઉભી થાય તેમ હોય માટે હાલ એક માસ માટે દર્શન વિભાગ, ભોજનશાળા, ધર્મશાળા, ચા વિભાગ બંધ રાખેલ છે.
તેમજ તા. ૫-૭-૨૦૨૦ના રોજ ગુરૂપુર્ણિમાનો મહાઉત્સવ પણ કોરોના મહામારીને ધ્યાને લઈ બંધ રાખેલ છે. આગળના સમયમાં ટ્રસ્ટીઓ દ્વારા મીટીંગ કરી ગુરૂ આશ્રમ મંદીર ખોલવા અંગેનો નિર્ણય કરાશે, જેની દરેક દર્શનાર્થીઓ ખાસ નોંધ લેવા જણાવાયું છે.