સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th June 2018

પાલિતાણના ભંડારીયા ગામ પાસે શેત્રુંજી નદી પાસેથી સિંહનો મૃતદેહ મળ્યો

પાલિતાણાઃ પાલિતાણાના ભંડારીયા અને વડાળ વચ્ચે શેત્રૃંજય નદીના કિનારે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહનો મૃતદેહ કબ્જે લીધો.

થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદના કારણે પુર આવ્યું હતું તેમાં સિંહ તણાઇને આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ આગાઉ થોડાં સમય પહેલાં અમરેલીમાં આવેલા વિનાશક પુરના કારણે શેત્રૃજંય નદીમાં સિંહ સહિત ઘણાં પશુઓ તણાઇને આવ્યા હતા ત્યારે ફરીવાર આ રીતે સિંહનો મૃતદેહ તણાઇને આવતા ચકચાર મચી ગયો છે.

(7:26 pm IST)