સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

રવિવારે વાંકાનેરમાં RSS દ્વારા બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન

વાંકાનેર: ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંક રાજકોટના સહયોગથી તારીખ 9ને રવિવારે વાંકાનેરમાં બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાયત્રી કોવિડ કેર સેન્ટર વાંકાનેર ખાતે આવતા રવિવારે સવારે 10 વાગ્યાથી શરૂ થનાર આ કેમ્પમાં કોવિડથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓ પોતાનું પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ ઉપરાંત આ સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કેમ્પ બાબતે વધુ જાણકારી માટે હિરેન પારેખ (9227821999), પ્રજ્ઞેશભાઈ પટેલ (9825222855), ચેતનભાઈ ગોસ્વામી (9723360666) અને રાહુલ જોબનપુત્રા (9265066096) પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે

(7:07 pm IST)