પોરબંદરમાં કોરાનાથી વધુ ૧ મૃત્યુઃ ૩૭ પોઝીટીવ કેસ : ૩૭ દર્દીઓ સાજા થયા
(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ : કોરાનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાનાનો કુલ મરણાંક ૧૩૩ પહોંચ્યોછે. કોરાનાના નવા ૩૭ પોઝીટીવ કેસ આવતા અત્યાર સુધીમાં જિલ્લા કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૬૪પ થઇ છે.
કોરાના ગઇકાલે ૬૪૬ વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા ૩૭ વ્યકિતઓના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. આ પોઝીટીવ કેસ છાંયા ઝુરીબાગ વેકેરત પ્લોટ ધરમપુર, આદિતપરા વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે.
કોરાનાની સારવાર દરમિયાન ૩૮ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં ર૪ કલાકમાં ૧ દર્દીનું કોરાનાથી મૃત્યુ થયુ છે. સિવીલ હોસ્પિટલમાં હાલ નવા પ૬ દર્દીઓ તથા કોવિડ કેર હોસ્પિટલમાં નવા ૧૩ દર્દીઓ સારવારમાં રહ્યા છે જિલ્લામાં ૧૪૩ વ્યકિતઓ હોમ આઇસોલેશનમાં છે.