સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂનું દુઃખદ અવસાન

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમા કોવિડ સારવાર બાદ રીકવર થયા :ગઈ કાલે વડોદરા શીફ્ટ કર્યા હતા: દુઃખદ અવસાનથી સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજમા શોકની લાગણી

અમરેલીઃ રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂનું દુઃખદ અવસાન થયું છે. અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમા કોવિડ સારવાર બાદ રીકવર પણ થયા હતા. ગઈ કાલે કોરોના રીકવરી બાદ વડોદરા શીફ્ટ કર્યા હતા. આજે વડોદરા ખાતે દુઃખદ અવસાનથી સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજમા શોકની લાગણી ફરી વળી છે. પ્રતાપભાઈ વરૂ ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રીય સમાજ પ્રમુખ હતા. સૌરાષ્ટ્રના તુલસીશ્યામ મંદીર તીર્થ ધામના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા.

(12:58 pm IST)