News of Thursday, 6th May 2021
સોમનાથ મંદિર ટ્રસ્ટ કોરોના મહામારીમાં પ્રજાની વ્હારે : પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ઓક્સિજન પ્લાન્ટમાં 50 લાખનુ આપ્યુ અનુદાન
સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનટાઈન થયેલા પરિવારને ભોજન પણ પહોંચાડવાની સેવા
વિશ્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર ટ્રસ્ટ કોરોનાની મહામારીમાં પ્રજાની પડખે આવ્યું છે તીર્થધામ સોમનાથ પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ઓક્સિજન પ્લાન્ટ માટે 50લાખ નુ અનુદાન આપ્યું છે આ ઉપરાંત વેરાવળ સોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનટાઈન થયેલા પરિવાર ને ભોજન પણ પહોંચાડવા આવે છે સોમનાથ ટ્રસ્ટ એ લીલાવતી ભવન કોવિડ કેર સેન્ટર માટે વહીવટી તંત્ર ને આપી દીધુ છે
(11:19 pm IST)