શાપર વેરાવળ પોલીસ દ્વારા લોકોની અવરજવર ઉપર ડ્રોન કેમેરાથી નજર
કાલાવડ તા.૬ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ શ્રી બલરામ મીણા સાહેબની સૂચનાથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ ૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝ દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે.
તેમજ ભારત સરકાર શ્રી દ્વારા સંપૂર્ણ ભારતમાં લોક ડાઉન અમલમાં હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ ધઅવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળો તથા રહેણાંક વિસ્તારના તથા સોસાયટીમાં નોવેલ કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કુલદીપસિંહ ગોહેલ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી લોકોની એકઠી ભીડઙ્ગ થતી જઞયા ઓ ઉપર નજર રાખવા કાર્યવાહી કરેલ છે.