વિસાવદરમાં કુલ મર્હુમોના ઈસાલે સવાબ અર્થે વાએઝ શરીફનો પ્રોગ્રામ
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬ : વિસાવદરમા કુલ મર્હુમોના ઈસાલે સવાબ અર્થે કબ્રસ્તાનમાં આગામી તા.૮ બુધવારના રોજ વાએઝ શરીફ-નાત શરીફ-ન્યાઝનુ આયોજન કરાયુ છે.જેમાં સાવરકુંડલાથી નાત ખ્વા બુલ બુલે બાગે મદીના જનાબ મોહસીન સાહેબ બાવનકા એન્ડગળપ-સાવરકુંડલા તશરીફ લાવશે. તેમજ વિસાવદર જામા મસ્જિદના પેશ ઈમામ મૌલાના મુફિ્ત તનવીર હસન સાહેબ અશરફી તથા મૌલના અયુબ આલમ સાહેબ વાઇઝ ફરમાવશે. મુ.૧૫ શાબાન અં.તા ૮-૩-૨૦૨૩ બુધવારના રોજ બાદ નમાજ ઇશા તકરીર ફરમાવશે તેમજ પ્રોગ્રામ બાદ ન્યાજનુ આયોજન કરવામાં આવેલ તો તમામ આસીકે રસુલ ને જાણ કરવામાં આવે છે કે,તમામ મર્હુમ તથા મર્હુમોના ઇસાલે સવાબ માટે તશરીફ લાવવા આયોજક સુલ્તાનમીયા દુશૈનમીયા કાદરી, મેહબુબમીયા હશૈનમીયા કાદરી, આસીફમીયા મેહબુબમીયાકાદરી (પત્રકાર), ઈકુભાઈ વટેટાવાળાએ જણાવ્યુ છે.
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા તારીખ ૮ બુધવાર ના રોજ રાત્રે ૮.૩૦કલાકે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોટરી કોમ્યુનિટી કોપ્સના સ્થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા તેમજ પ્રમુખ આસીફ એમ.કાદરી(પત્રકાર) દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ માં એકત્ર થતુ લોહી થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને અને અન્ય લોકેને જરૂરિયાત સમયે આ બ્લડ મળે અને તેમને એક નવજીવન રૂપી આ બ્લડ સાબિત થાય તેવી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બ્લડ કેમ્પનું સ્થળ કબ્રસ્તાન,શ્યામ વાડી સામે, પોલીસ સ્ટેશન રોડ,વિસાવદર ખાતે રાખવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ઉપપ્રમુખ અને સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.