મોરબીના રામધન આશ્રમ ખાતે ચાલતી દેવી ભાગવત કથાની કાલે પુર્ણાહૂતિ.
દેવી ભાગવત કથામાં વિવિધ પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાયા
મોરબી : મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે તારીખ 30 જાન્યુઆરીથી ભવ્ય દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથાનો આવતીકાલે તારીખ 7 ફેબ્રુઆરીને મંગળવારના દિવસે કથાની પૂર્ણાહુતિ થશે. અત્યાર સુધી દરરોજ કથામાં પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાયા છે. દરરોજ બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે.
જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ- મહેન્દ્રનગર દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથા ચાલી રહી છે. દરરોજ સવારે 9 થી 11 અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) પોતાના મધુર અને સુરીલા કંઠથી સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ઉપરાંત કથામાં દરરોજ પાવનકારી પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે કથાની પૂર્ણાહુતિ હોય સૌને લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે