સાવરકુંડલા સ્મશાનની સુવિધા માટે ખડે પગે રહેતી સેવાભાવી કાર્યકરોની ટીમ
(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૬ : સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત કુંડલા સ્મશાનમાં શનિવારે સાંજે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ નગરપાલિકાના સદસ્યોની સેવાઓ કરતી ટીમ સાથે કુંડલા સ્મશાનમાં મુલાકાત લઈને આજે સ્મશાન છાપરી સહીત રોડ રસ્તાઓ અને છાણાં, લાકડા, જેવી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું એને ત્યાંના કર્મચારીઓને જરૂરી સુચનો આપી હતી. તેમજ કોઇ પણ કામ કાજ હોય તો નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી અને તમામ સદસ્યોની ટીમનો સંપર્ક કરવાની સૂચના આપી હતી. આ સેવા કાર્યમાં સહું સાથે જોડાઈને સાવરકુંડલાનાં બન્ને સ્મશાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ તકે નગરપાલિકાના સદસ્યો કમલેશભાઈ રાનેરા ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, ધર્મેન્દ્રભાઈ મહેતા, જીગ્નેશભાઈ ટાંક, હસુભાઇ ચાવડા, કેસુભાઈ બગડા, કરશનભાઈ રબારી, અનિલભાઈ ગોહીલ અને તમામ સદસ્યઓના સાથ સહકાર થી સમશાનમાં જરૂરી સુવિધા ઓ પ્રાપ્ત થઇ રહી છે.