સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

માધાપરના રતિલાલ બાબરીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૬: માધાપરમાં રેલ્‍વે ફાટક પાસે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રતિલાલ તળસીભાઇ બાબરીયા (ઉ.વ.૫૪) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર છ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:07 pm IST)