હજીરાથી ઘોઘા રો-પેકસ રસ્તામાં બંધ પડી ગઇ
ભાવનગર, તા., ૬ : ઘોઘા-હજીરા રો-પેકસ સર્વિસનું નશીબ જાણે બે ડગલા પાછળ હોય તેમ શરૂ થઇ ત્યારથી સરખી ચાલી નથી.
હજીરાથી ઘોઘા આવવા ઉપડેલી આ શીપ રસ્તામાં યાંત્રીક ખામી સર્જાતા બંધ પડી ગઇ હતી. તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ત્યાર બાદ ટગની સાથે બાંધીને ઘોઘા લાવવા તજવીજ હાથ ધરેલ.
અહીં ઘોઘાથી બપોર ૩ વાગે ઉપડતી આ શીપના મુસાફરોને ર.૩૦ વાગે જાણ કરાઇ કે આજની ટ્રીપ કેન્સલ છે તેનું કારણ કે યોગ્ય ખુલાસો કરાયો ન હતો તથા આ સર્વિસના કોઇ જ જવાબદાર હાજર ન હતા.
મુસાફરોનું પ્લાનીંગ મુજબ પોહોચવાનું અશકય બને છે. મુસાફરોને આજે તો સીકયોરીટીના સ્ટાફ સાથે મહાથાકુટ કરવી પડેલ.
અવાર-નવાર યાંત્રીક ખામીથી બંધ પડતી આ સર્વિસ માટે સરકારે હસ્તક્ષેપ કરી ઉકેલ લાવવો અત્યારે તો જરૂરી બન્યું છે.