ભાણવડના તથા રાણપરના યુવાને આપઘાત કર્યો
ખંભાળીયા, તા.૫: ભાણવડ ખાતે રહેતા રબારી પુંજાભાઈ માંડાભાઈ ચાવડા નામના ૨૨ વર્ષના વિદ્યાર્થી યુવાને કોઈ અકળ કારણોસર શનિવારે સવારના સમયે પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવની જાણ વીરાભાઈ માંડા ચાવડાએ ભાણવડ પોલીસને જાણ કરી છે.
અન્ય એક બનાવમાં ભાણવડ તાલુકાના રાણપર ગામના રામભાઈ મુરુભાઈ ઓડેદરા નામના ૪૫ વર્ષના મેર યુવાને માનસિક બીમારીથી કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લેતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમના મળત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ જગાભાઈ મુળુભાઈ ઓડેદરાએ ભાણવડ પોલીસને કરી છે.
રોજીવાડાની તરૂણીએ ભૂલથી ઝેરી દવા પી લેતા મળત્યુ
ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે રહેતા દિનેશભાઈ નારણભાઈ ગોરફાડ નામના સગર યુવાનની ૧૭ વર્ષની તરુણ પુત્રી નેહલબેને ગત તારીખ ૨૮મીના રોજ પોતાના ઘરે ઈનો પાવડરના બદલે ભૂલથી ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેણીને વધુ સાસ્વાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવની ચાર મળતકના પિતા દિનેશભાઈ ગોરફાડે ભાણવડ પોલીસને કરી છે.