સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે નવેમ્બર માસમાં ૬,૧૫,૯૧૫ લોકોએ લાભ લીધેલ

પ્રભાસ પાટણ, તા.૪: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ નાં દર્શનાર્થે નવેમ્બર માસમાં માત્ર એક મહિનામા ૬,૧૫,૯૧૫ દર્શનાર્થીઓ એ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી ગત ૨૦૨૧ ના ના નવેમ્બર માસમાં ૮,૦૮,૩૯૮ જેટલા ભકતો એ સોમનાથ મહાદેવ નાં દર્શન નો લાભ લીધેલ હતો જેના પ્રમાણમાં આ વર્ષે દર્શનાર્થીઓ મા ઘટાડો નોંધાયો આ ઘટાડા પાછળનુ કારણ ધારાસભ્યની ચૂંટણી હોય શકે છે ચાલુ વર્ષના અગીયાર માસ મા ૫૫ લાખ થી વધુ લોકોએ દર્શનનો લાભ લીધેલ છે અને ભોળાનાથના આશીર્વાદ મેળવેલ છે નવેમ્બર માસમાં ચૂંટણીને કારણે પ્રચાર કરવા આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ઉતરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ દર્શનનો લાભ લીધેલ.

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે ડીસેમ્બર માસમાં નાતાલના કારણે દર્શનાર્થીઓમા વધારો નોંધાય શકે છે સોમનાથ મંદિરની સાથે સાસણ, દિવ સહિતના પ્રશાસન સ્થળોએ લોકો ફરવા નિકળી પડશે તેવી ધારણાં છે.

(12:10 pm IST)