વઢવાણ :સરા અજીતનાથ જીનાલયની વર્ષગાંઠ નિમીતે ધ્વજા રોહણ અને સ્વામીવાત્સલય
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૪ : મૂળી તાલુકાના સરા ગામે આવેલ જૈનોના આસ્થાના પ્રતિક સમા અતિ પ્રાચીન અજીતનાથ જીનાલય ની વર્ષગાંઠ હોય આ શુભ અવસરે વાંકાનેર સુમતિલાલ લાલચંદ શાહ જવાસા પરિવાર જેમના પુર્વજોએ સરા ખાતે અજીતનાથ જીનાલય બંધાવેલ તેમના પરિવારજનો હરેશભાઇ હાલ મુંબઇ સહિત એ ધ્વજારોહણનો લાભ લીધો હતો. જવાસા પરિવારનંુ સ્થાનિક સંધ દ્વારા સન્માન કરવામા આવેલ હતુ શ્વે.મુર્તિ પુજક સંધ દ્વારા સ્વામીવાત્સલ્ય નુ આયો જન કરવામા આવેલ હતો. પ્રસંગ સુખડીયા પરિવાર, ભાવિક શેઠ, ભરત પારેખ, લલીતભાઇ પારેખે જહેમત ઉઠાવી પ્રસંગ દિપાવ્યો હતો. સરા સકળસંઘમાં પધારેલ માલતીબાઇ આદિ ઠાણા ૪ મહાસતીજીના દર્શન અને મહા માંગલિકનો લાભ મેળવી સ્વામીવાત્સલ્યના પ્રસાદનો લાભ લઇ જૈનોએ ધન્યતા અનુભવી હતી.