સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

જોડિયાની ‘રામવાડી'ના દર્શનાર્થે પધારેલા પ.પૂજ્‍યશ્રી અનિલપ્રસાદ શાષાીજી

વાંકાનેર : જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ ઉદાસીન સંત કુટિર ‘રામવાડી' આશ્રમ ખાતે મૂળ ઝુંઝાળાવાળા હાલ રાજકોટના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય, રામાયણ, શિવ પુરાણના વિદ્વાન કથાકાર પ, પૂજ્‍ય શ્રી અનિલપ્રસાદ શાષાીજી રામવાડીમાં બિરાજમાન જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તૅમજ પ્રાતઃ સ્‍મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના દર્શનાર્થે પધારેલા હતા તેઓએ શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તથા પૂજ્‍ય ભોલેબાબાજીનું વિશેષ પૂજન કરેલ હતું. તેમની સાથે ભક્‍તજન  હર્ષદભાઈ શેલાણી સાથે રહયા હતા. પૂજ્‍ય અનિલપ્રસાદ શાષાીજીને જોડિયા રામવાડીના બ્રહ્મલિન મહંત પ પૂજ્‍ય શ્રી ભોલેદાસજીબાપુ સાથે અપાર સ્‍નેહભાવ હતો.

(11:55 am IST)