સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

સાવરકુંડલા ગુ઼રૃકુળમાં નેત્રયજ્ઞ

શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ-સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા ગામે ૩૧૦ મો નિઃશુલ્ક નેત્રકેમ્પનું દિપ પ્રાગટય કરતાં શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા ડો. એન. આર. ત્રિવેદી તથા વિરનગરના ડોકટરશ્રી દ્રશ્યમાન થઇ રહ્યા છે. આ કેમ્પમાં કુલ ૧૬ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન કરી નેત્રમણિ બેસાડવામાં આવ્યા હતાં. કુલ ૧૩૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતાં. કેમ્પમાં મુખ્ય દાતા અ. સૌ. નેહલબેન અંકિતકુમાર-અમેરીકા હ. મનુભાઇ એચ. કોરડીયા તરફથી આર્થીક સહયોગ મળ્યો હતો. કેમ્પને સફળ બનાવવામાં ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત ઉપાડી હતી.

(11:43 am IST)