ખંભાળિયાના યુવાનને નિવસ્ત્ર કરી સરઘસ કાઢવાના મામલામાં ડીઆઈજી સંદીપસિંહ દ્વારા આકરા પગલા:.ઇન્ચાર્જ પીઆઇ સહિત ૯ સસ્પેન્ડ, ૨ એલઆરડી જવાન ઘર ભેગા:.રજા પર રહેલ પીઆઇ સામે ખાતાકીય તપાસના આદેશથી ખળભળાટ
રાજકોટ : દેવ ભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ક્રિકેટ સટ્ટાની માહિતી સોશિયલ મીડિયામાં મૂકનાર ચંદુભાઈ નામના યુવાનનું બળજબીપૂર્વક અપહરણ કરી માર મારી નિવસ્ત્ર ફેરવવાના સૌરા્ટ્રભરમાં ચકચારી બનેલ મામલાના ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા આકરા અને દાખલા રૂપ કરી ઇન્ચાર્જ પીઆઇ સહિત કુલ ૯ ને સસ્પેન્ડ 2 એલ.આર. ડી.જવાનને ઘર ભેગા કરવા સાથે રજા પર રહેલા પીઆઇ સામે ખાતાકીય કાર્યવાહી ના આદેશ આપતા પોલીસ તંત્રના ખળભળાટ મચી ગયો છે.
બનાવની જાણ થતાં જ તેજ દિવસે સાંજના ખંભાળિયા પોહચી dig સંદીપસિંહ દ્વારા આરોપીઓ ભોજાણી બંધુઓની આગવી ઢબે પૂછ પરછ કરવા સાથે કાયદાનું ભાન કરાવવા સાથે સમગ્ર મામલાની તપાસ દેવભૂમિ દ્વારકાની ખાસ સુરક્ષા ના ડીવાયએસપી સમીર સારડાને તપાસ સુપરત કરી હતી.તપાસ રિપોર્ટ બાદ થયેલી કાયૅવાહી આ મુજબ છે