સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જેતપુર-નવાગઢના સસ્તા અનાજના દુકાનદાર કાજી યાહયાને ત્યાં પુરવઠા અધિકારી પૂજા બાવડાની તપાસ બાદ ૩૩ હજારનો જથ્થો સીઝ કરાયેલઃ પુરવઠા ઇન્સ્પેકટરોના રીપોર્ટ બાદ હવે ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ કરાયું

જેતપુર-નવાગઢના રાશનીંગ દૂકાનદાર કાજી યાહ્યા ગફારભાઇને ત્યાં ડીએસઓ શ્રી પુજાબેન બાવડાની તપાસમાં ચણા ઓછા અપાતા હોવાની અને અન્ય ગેરરીતિઓ બહાર આવતા ૩૩ હજારના ઘઉં-ચોખા-ખાંડ-તેલ-મીઠુ સીઝ કરાયા હતાઃ આ પછી ઇન્સ્પેકટરો પરસાણીયા અને કિરીટસિંહ ઝાલાએ રીપોર્ટ કરતા આજે જીલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડાએ ઉપરોકત દુકાનદારનું ૯૦ દિવસ માટે તાકિદની અસરથી લાયસન્સ સસ્પેન્ડ કરી દીધુ.

(3:14 pm IST)