સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જૂનાગઢ એ-ડિવીઝનના હેડ કોન્સ. ગિરૂભા ચુડાસમાનું હૃદયરોગના હુમલાથી અવસાનઃ ગાર્ડ ઓફ ઓનર

જૂનાગઢ, તા. ૫ :. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગિરીરાજસિંહ લખુભા ચુડાસમા (ઉ.વ. ૪૭)નું ગઈકાલે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ છે.

ઉપલેટા તાલુકાના ભિમોરા તેમના વતન ખાતે આજે સવારે ૮ કલાકે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગિરીરાજસિંહ ડાયાબીટીસ તેમજ બીપીના દર્દી હતા. છેલ્લા પાંચેક દિવસથી સામાન્ય બિમારી હતી પરંતુ ગઈકાલે રાત્રે ૮ વાગ્યાની આસપાસ હાર્ટએટેકનો હુમલો આવતા તેમનુ દુઃખદ અવસાન થયુ છે.

ગિરીરાજસિંહ અત્યંત માયાળુ અને સરળ સ્વભાવન હતા તેઓ અગાઉ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ એ-ડિવીઝનમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના અવસાનથી પોલીસ બેડામાં અને તેમના સગાસંબંધી, મિત્રવર્તુળમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

સ્વ. ગિરીરાજસિંહને જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજાવાસમ સેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ-ડિવીઝનના ઈન્ચા. પીઆઈ વી.યુ. સોલંકી, એસઓજીના પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા, બી-ડિવીઝનના પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઈ હરૂભા ચુડાસમા, બી.કે. ચાવડા, કે.કે. મારૂ, પી.વી. ધોકડીયા, આર.કે. ગોહિલ સહિતના અધિકારીઓ પત્રકાર મિત્રોએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

(1:03 pm IST)