સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જૂનાગઢમાં વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી બેટથી ફટકાર્યો

પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૫ : જૂનાગઢમાં વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી તેને બેટથી ફટકાર્યો હોવાની પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ થઇ છે.

જૂનાગઢના દિવાન ચોક વિસ્તારમાં રહેતો આનંદ છગનભાઇ સરવૈયા (ઉ.વ.૩૦)એ પંકજ મહીકા પાસેથી રૂ. ૩૦ હજાર વ્યાજે લીધા હતા.

દરમિયાન ગઇકાલે તળાવ દરવાજા પાસેથી પંકજ મહિડા તેમજ કૃણાલ ઠેસીયા, સામત રબારી અને સંદીપ ઠેસીયા સહિત પાંચ શખ્સો આનંદ સરવૈયાનું અપહરણ કરી તેને ખલીલપુર રોડ ખાતે લઇ ગયા હતા.

જ્યાં આ શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી યુવાનને ઢીકાપાટુનો માર મારી અને તેના ઉપર લાકડાના બેટ વડે હુમલો કરી ઇજા પહોંચાડીને તમામ શખ્સો નાસી ગયા હતા.

આ અંગે બી-ડીવીઝનના પી.એસ.આઇ. એ.કે.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

(1:02 pm IST)