જેતપુરના નવાગઢમાં વ્રજધામ હવેલીનું ભૂમિપૂજનઃ જયેશભાઇ રાદડિયા - રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિ
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૫ : શહેરના સુદામાનગરમાં પુરૂષોત્તમધામ હવેલીના નિર્માણ બાદ પુ.ગો.શ્રી કૃષ્ણકુમારજી મહોદય (કડી-અમદાવાદ)ના સાનિધ્યમાં વૈષ્ણવોની અપાર પ્રેમ લાગણીથી નવાગઢ ખાતે સર્વપ્રથમ હવેલીનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેનું મંગલ ભૂમિપૂજન શ્રી વ્રજધામ હવેલી અધ્યક્ષ પુ.શ્રી કૃષ્ણકુમારજી મહોદયના સાનિધ્યમાં કરવામાં આવેલ. આ પ્રસંગે પૂ.શ્રી કુંજેશકુમારજી મહોદય, પૂ. સાનિધ્યકુમારજી, પૂ. આશ્રયકુમારના વચનામૃત યોજાયા હતા.
આ ધાર્મિક ઉત્સવમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, સાંસદ રમેશભાઇ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવનો વૈષ્ણવોએ લાભ લઇ ભાવવિભોર બની ગયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વ્રજધામ હવેલી સમિતિ રસીલાબેન વલ્લભભાઇ કામાણી, વિરજીભાઇ વેકરીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.