સરાગામે પટેલ દપંતિએ ફાંસો ખાધો
વઢવાણ, તા.૫: મૂળી તાલુકાના સરાગામે પ્લોટ વિસ્તારમા રહેતા બળદેવભાઇ હિરજીભાઇ અને તેમની પત્ની હેમાબેન એ ઘરમા અગઅય કારણોસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમા અરેરાટી ફેલાઇ ગયેલ હતી બનાવ ની જાણ પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોચી જઇ લાશનો કબ્જો લઇ મૂળી પી એમ માટે ખસડેલ હતી.
ખેતીવાડી સાથે ઇકો ગાડી ભાડા પેટે આપી ગુજરાન ચલાવતા બળદેવભાઇ હિરજીભાઇ વરમોરા ઉ-૪૦ ના લગ્ન પાચેક વર્ષ પહેલા હેમાબેન સાથે થયેલ હતા તેમને કોઇ સંતાન ન હતુ, તા૩ ડીસેના રોજ સાંજના સમયે બળદેવભાઇનુ કામ હોવાથી તેમના મોટાભાઇ શાંતિ
લાલ વરમોરા બળદેવના ઘરે ગયેલ બારણુ ખખડાવવા છતા બારણાનો દરવાજો લાબા સમય સુધી નહિ ખોલતા તેમને મોબાઇલ ફોન કરેલ પરંતુ મોબાઇલ ફોન પણ નહિ ઉપાડતા આજુબાજુ વાળાને પુછતા ઘરે જ હતા વારંવાર બારણુ નહિ ખુલતા વંડી ઠપીને અંદર જોતા બળદેવ ભાઇ અને તેની પત્ની ગળેફાસો ખાધેલ હાલતમા જોતા શાંતિભાઇ એ ચીસ નાખતા આજુબાજુ રહેતા લોકો એકઠા થયેલ. પી એસ આઇ ડી.જે.ઝાલા સરા ઓ.પી ના પો.હે.કો રોહિતભાઇ રાઠોડ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ લાશનો કબ્જો લઇ પી એમ માટે મૂળી લઇ જવાયા હતા મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલાએ જણાવ્યા મુજબ પટેલ દંપતિએ ગળેફાસો ખાઇ આત્મહત્યા કરેલ તેમની પાસેથી કોઇ સુસાઇટ નોટ કે કશુ મલ્યુ નથી વધુ તપાસ પોલી સ કરી રહીછમ છે સજોડે ગળેફાસો ખાઇ જીંદગી નો અંત આણી લેતા નિઃ સંતાન દપંતિના મૃત્યુનુ કારણ પણ અકબધ રહી ગયેલ હતુ સમગ્ર પંથકમા યુવા દપંતિએ કરેલ આપધાત ની ધટના બાદ ચકચાર મચી જવા પામેલ.