સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ કોરોનાગ્રસ્ત

વિસાવદર : યુવા ધારાશાસ્ત્રી નયનભાઇ જોષી કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

કેમકે સતત લોકસંપર્કથી વ્યસ્ત રહેતા ધારાશાસ્ત્રી નયનભાઇ જોષી કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે રાજકીય રીતે પણ પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે અને લોકોના મુશ્કેલ પ્રશ્નોનું પોતાની વ્યકિતગત સુઝબુઝ સાથે ઉકેલ લાવતા એડવોકેટ જાહેર જીવનમાં છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોતાના સંપર્કમાં આવેલા નાગરિકોને સતર્કતા કેળવવા અનુરોધ કરેલ છે.

(11:43 am IST)