સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

સુરેન્દ્રનગરમાં ગ્રાહકના સ્વાંગમાં બે લાખના ચેઇન લઇને નાસી છૂટ્યો

વઢાવણ,તા.૫ :  વિઠ્ઠલપ્રેસ રોડ પર શ્રી સ્વામીનારાયણ જવેલર્સ નામની દુકાન ધરાવતાં વિશાલભાઈ દિપકભાઈ આદેશરા (સોની) બપોરના સમયે દુકાનેથી દ્યરે જમવા ગયા હતાં અને દુકાને તેમના સ્ટાફના બે કર્મચારીઓ હાજર હતાં તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ દુકાનમાં ગ્રાહક બની આવ્યો હતો અને પોતાને સોનાના ચેઈનની ખરીદી કરવાનું જણાવી ચેઈન બતાવવાનું કહેતાં દુકાનના માણસોએ અલગ-અલગ વજનના ત્રણ ચેઈન કિંમત અંદાજે રૂ.૨,૦૮,૦૦૦ જોવા આપ્યા હતાં.

 તે દરમ્યાન અજાણ્યો શખ્સો ત્રણેય ચેઈન હાથમાં લઈ અચાનક બાજુની ગલીમાં રાખેલ બાઈક લઈ નાસી છુટયો હતો જેને પકડવા પીછો કર્યો હતો પરંતુ પત્ત્।ો લાગ્યો નહોતો જે અંગે દુકાનના માણસોએ માલીક વિશાલભાઈને જાણ કરતાં દ્યટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આ અંગે એ ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી. જયારે દિન-દહાડે શહેરના ભરચક વિઠ્ઠલપ્રેસ રોડમાં સોનીની દુકાનમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં વધુ પેટ્રોલીંગ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:34 am IST)