સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th December 2018

જુનાગઢ અને પાદરીયાની સગીરાનું લલચાવીને અપહરણ

જુનાગઢ તા.પ : જુનાગઢમાં ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મુકેશ મુળજી વાઘેલા નામનો શખ્સ ભગાડી ગયો હતો.

સગીરા અને મુકેશ મુળજી વિસાવદરનો જેતલવડ ગામેથી મળી આવતા તરૂણીનાં પિતાએ અપહરણની ફરીયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ જ પ્રમાણે જુનાગઢ તાલુકાનાં પાદરીયા ગામની એક સગીરાને જુનાગઢમાં ગિરનાર દરવાજા પાસે રહેતો ધનજી અમુ બાવળિયા લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ફરીયાદ જુનાગઢ તાલુકા પોલીસમાં થઇ છે.

(3:04 pm IST)