સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

મોરબી પંથકમાં બે અકસ્માતમાં બે ના મોત

બંધુનગર પાસે ડમ્પર હડફેટે ટ્રક ડ્રાઈવર અરવિંદભાઈ ઉર્ફે અરૂણભાઈ જાદવનું મોતઃ ઘુંટુના સીરામીક એકમમાં ફોરકલીપ વાહન પલ્ટી ખાઈ જતા પંકજભાઈ મિશ્રાનું મોત

મોરબી, તા. ૫ :. મોરબી પંથકમાં અકસ્માતના બે બનાવમાં બે ના મોત થયા હતા.

પ્રથમ બનાવમાં મહારાષ્ટ્રના પાંચોરા તાલુકાના ત્રંબકનગરમાં રહેતા ઋષિકેશભાઈ જાદવના પિતા અરવિંદભાઈ ઉર્ફે અરુણભાઈ કૌતિકભાઈ જાદવ તથા ભીલાભાઈ પિંજારી ગાડી એમએચ ૧૯ સીવાય ૦૦૨૭ વાળી મોરબીના મકનસર પાસે ટાઈલ્સ ભરીને મહારાષ્ટ્ર આવતા હોય ત્યારે વૈશાલી ટ્રાન્સપોર્ટ મકનસર ખાતે બીલટી લઈને પાછા આવતા ટ્રક પાસે પહોચતા કોઈ અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળી ડમ્પર પુર ઝડપે ચલાવીને ફરિયાદી ઋષિકેશભાઇના પિતાને હડફેટે લઈને ગંભીર ઈજા પહોચાડતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મૂળ બિહારના રહેવાડી પંકજભાઈ રંગનાથ મિશ્રા (ઉ.૩૮) ધુટુ ગામની સીમમાં આવેલ મેટ્રોસીટી સિરામિક એકમમાં માલની હેરફેર માટે ફોર કલીપ નંબર એચઆર ૩૮ ટી ૦૫૯૭ વાળું ચલાવતા હોય તેમાં ટાઈલ્સ ભરી કારખાનાનો ઢાળિયો ઉતારતા પોતે બેદરકારી દાખવેલ હોય અને વાહન સ્પીડમાં ચલાવતા ઢાળિયા પાસે જમણી સાઈડમાં પલટી ખાઈ હતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:17 pm IST)