રાજુલામાં અમરેલી જીલ્લા ભાજપનુ સ્નેહમિલન
રાજુલાઃ રાજુલા ખાતે જિલ્લા ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભરના કાર્યકર્તાઓની હાજરીમાં મળેલા આ સંમેલનમાં ભાજપ સરકાર દ્વારા વિકાસનાં કાર્યો જનતા સુધી લઇ જવા અને કોંગ્રેસના જુઠાણા સામે જાગૃત થવા પણ કાર્યકર્તાઓને હાંકલ કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, ઇફકોના વા.ચેરમેન દીલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય આર.સી.મકવાણા, પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, બાલુભાઇ તંતી, મધુભાઇ ભુવાએ નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખઓ ડો. ભરતભાઇ કાનાબાર, મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, ઉપપ્રમુખ રીતેશ સોની, જીતુભાઇ ડેર, વંદનાબેન મહેતા, રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશ પટેલ, ટીંબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ચેતન શીયાળ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી તેમજ જિલ્લા ભાજપ તથા મંડલ મોરચાના હોદેદારો, તાલુકા પંચાયત, ન.પા.ના હારેલા જિતેલા સભ્યો, જિલ્લા ભાજપ વિભાગ સેલ, પ્રકલ્પના હોદ્ેદારો, શહેરી અને તાલુકા મંડળના તમામ હોદ્દેદારઓ, પૂર્વ તમામ હોદેદારો, આગેવાનો સહીતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ અહેવાલ-શિવકુમાર રાજગોર-રાજુલા)